શૂરવીર રાહો ડેર --ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
શૂરવીર રાહો ડેર ડૉ. પ્રદ્યુમ્ન ખાચર કાઠીયાવાડની શૌર્ય ભૂમિનું આછેરું દર્શન કરાવવાની આજ તો જાજેરી તલપ વળગી છે. બાબરાથી નવેક માઈલ છેટા એવાને પાઘડી પને જ પથરાયેલુ કાઠીયાવાડના છોગાં જેવું ગામ એટલે ચાવંડ. આ ગામની ત્યારે જાજેરી વસ્તી આહીરોનીને ગામ ખમતીધરને કહવાળું,તેથી બહારવટિયાઓની કાયમ નજરું ચાવંડ ઉપર જ મંડાયેલી જ રહે. વળી ગામમાં કાણકિયા કુટુંબના દેવી માં ચામુંડાના જ્યાં અખંડ બેસણા હોય એવું રૂપકડુંને બળુકું ગામ. જેમાં એક રખાવટવાળોને ખડતલને પહોળી છપ્પનની છાતીના આહિરને ઘેર એક બાળક જન્મ્યું ત્યારે તેની ફુઈએ એ બાળકના સામુદ્રિક લક્ષણો પારખી કે જે એ અભણ આહીરાણી ક્યાય પણ નીતિમતા કે શુરવીરતા કે રખાવટ કે દાતારીની કોઈ પાઠમાંળા શીખવા ગઈ નહોતી એણે ભત્રીજાનું નામ પાડ્યું રાહો. ધીરે ધીરે રાહો તો રાત ને દિવસ વધતા મોટો થતો જા...