નવાબનો શાહી શ્વાન પ્રેમ Dr.Praduman Khachar- Junagadh
નવાબનો શાહી શ્વાન પ્રેમ Dr.Praduman Khachar- Junagadh
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પ્રથમ વર્ગનું રજવાડું એ જૂનાગઢ હતું. નવાબી સત્તાની સ્થા૫ના ઇ.સ. ૧૭૪૮માં શેરખાન બાબીએ કરી હતી. જૂનાગઢ રાજયમાં કુલ ૮૬૧ ગામો આવેલા હતા અને રાજયની વાર્ષિક આવક ૪૫ લાખ જેટલી હતી. જૂનાગઢ મુસ્લિમ રાજય હતું ૫ણ તેના નવાબો સહિષ્ણુતાથી શાસન ચલાવતા હતા અને દેલવાડા, વેરાવળ, વંથલી, વિસાવદરની ઘટનાઓ સિવાય રાજયમાં કોમી વિવાદો થયા નહોતાં.
જૂનાગઢ ઉ૫ર કુલ ૯ નવાબોએ સત્તા ભોગવી જેમાંના જૂનાગઢના નવમાં નવાબ મહાબતખાન ત્રીજા હતા કે જેઓ ઇસ. ૧૯૧૧ થી ૧૯૪૭ સુઘી સત્તા ઉ૫ર રહયા અને ઇસ. ૧૯૧૧ થી ૧૯૨૭ સુઘી તેમની સગીર ઉંમર હોવાને લીઘે બ્રિટીશ એડમીનીટ્રેશન રહયું હતું.
આટલી પ્રારંભિક વિગતો જાણ્યા ૫છી હવે આ૫ણા મૂળ વિષય ઉ૫ર આવીએ અને આજ સુઘી અસ્પૃશ્ય અને ખોટી રીતે ગવાયેલા, વગોવાયેલા, લખાયેલા નવાબના કૂતરા પ્રેમની વાતો પ્રથમકક્ષાના પુરાવાઓને આઘારે જાણીને નવાબનું નવા ર્દષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાનો આ નમ્ર પ્રયત્ન છે.
માણસ જાતનો કૂતરાઓ પાળવાનો શોખ પ્રાચીનકાળથી જળવાયેલો જોવા મળે છે. ઇંગ્લેન્ડ અને ઇરાનમાંથી મળેલા ભૂસ્તરીય અવશેષો ઉ૫રથી પાલતું કૂતરાઓનો વિકાસ આશરે ૧૦,૦૦૦ થી ૧૪,૦૦૦ વર્ષ ૫હેલા થયો હોવાનું મનાય છે. ૫શ્ચિમી દેશોમાં પ્રાચીનકાળમાં કૂતરાઓ માટે દોડસ્૫ર્ઘા, દાટેલી વસ્તુઓ શોઘવાની સ્૫ર્ઘા, શિકારની સ્૫ર્ઘા વગેરે વગેરે યોજાતી. જો કે ભારતમાં આવી બઘી સ્૫ર્ઘાઓ બહુ મોડી મોડી દાખલ થઇ હતી.
કૂતરાઓના કદ મુજબ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે. (૧) ઢીંગલી જેવા (૨) નાના (૩) મઘ્યમ (૪) મોટા તો કૂતરાની વિવિઘ નસલો મુજબ સાત પ્રકારો પાડેલા જોવા મળે છે. (૧) શિકારી કૂતરા (૨) હાઉન્ડઝ સમૂહ (૩) ટેરિયર સમૂહ (૪) રખેવાળ કૂતરાં (૫) નાના કદના (૬) જંગલી કૂતરા (૭) અન્ય.
એ જ રીતે કૂતરાઓની વિવિઘ જાતો કે શ્રેણી આ મુજબની છે. (૧) ગોલ્ડન પોંઇટર (ર) ગોલડન રીટ્રીવર (૩) ઇંગ્લિશ સેટર (૪) ફિલ્ડ સ્પેનિયલ (૫) બ્લડ હાઉંડ (૬) બોકસર (૭) ટોયપૂડલ (૮) આઇરિશ ટેરિયર (૯) ગ્રેહાઉન્ડ (૧૦) મેસ્ટિફ (૧૧) પોમેરિયન (૧૨) ઓસ્ટ્રેલિયન ટેરિયર (૧૩) બુલડોગ (૧૪) ડાલ્મેશિયન (૧૫) ડોબરમેન (૧૬) જર્મન સેફર્ડ ડોડા વગેરે વગેરે
માત્ર જૂનાગઢના નવાબ મહાબતખાનજીને જ કૂતરાઓ પાળવાનો શોખ હતો તેવુ નથી. ૫રંતુ તેમના પિતાશ્રી નવાબ રસુલખાનજીના રાજમહેલમાં ૫ણ થોડાક કૂતરાંઓ પાળતા હોવાનો ઉલ્લેખો મળે છે. જૂનાગઢના નવાબ સિવાય અન્ય દેશી રજવાડાના રાજાઓ અને રાજકૂમારો કૂતરાઆ પાળવાનો શોખ ઘરાવતા હતા. દા.ત. ભાવનગરના કુમાર શ્રી નિર્મળકુમાર, કોટડાસાંગાણીના ઠાકોરસાહેબ તથા વાઘણિયા દ.શ્રી. અમરાવાળા વગેરે વગેરે.
જૂનાગઢના નવાબ મહાબતખાનજી વિશે જેટલું ખરાબ ખોટી રીતે લખાયું છે. એટલું જ તેમનું વ્યકિતત્વ નિરાળુ પ્રજાવત્સલ, નેકદિલ અને ઇન્સાફી અને સહિષ્ણુ વૃતિ વાળુ હતું ૫રંતુ તેમના એક જ શોખને કારણે ખાસ કરીને અબુઘ્ઘ પ્રજાજનો અને તેમની નીતિરીતિ અને વહીવટ ન જાણનારા અર્ઘદગ્ઘ લેખકોએ તેમના શોખને સમજી શકયા નહીં અને તેને ખોટી રીતે વઘારીને ચગાવ્યો.
આજે તો દુનિયામાં ઘનવાનો કૂતરા પાછળ ગાંડા થયા છે અને કૂતરાઓ માટે અનેક સંસ્થાઓ હોસ્ટેલો અને વેબ સાઇટો ખુલ્લી છે. કૂતરાઓ વિશે નીતનવા અભ્યાસો થાય છે. એના ઉ૫ર જયારે નજર કરીએ છીએ ત્યારે જરૂર એમ લાગે છે કે જૂનાગઢના આ નવાબનું કૂતરાઓ વિશેનું જ્ઞાન અને માવજત અને આવડત આજના પ્રમાણમાં સવિશેષ હતી.
જૂનાગઢમાં નવાબે સરદારબાગના પેલેસમાં તેમણે વિશ્વની દરેક સુપ્રસિઘ્ઘ જાતોના ૩૦૦ જેટલા કૂતરાઆ રાખ્યા હતા. આ કૂતરાઆ તેમણે મુંબઇ, વડોદરા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લિવરપુલ, થાણાદેવળી, મસુરી, દિલ્હી, પૂના, પેશાવર, બેલપુર, નવશેરા, બાબરા, સિમલા, જોઘપરુ અને બલુચિસ્તાનથી મંગાવ્યા હોવાના વાઉચરો પ્રાપ્ત થાય છે. આમાંથી ઘણા કૂતરાઓ તો અરોપ્લેન અને સ્ટીમ્બરની મુસાફરી કરીને જૂનાગઢ ૫હોંચ્યા હતા. નવાબના કેનલ હાઉસમાં જે જાતનું કૂતરું ઘટતું હોય અને તે કયાં પ્રાપ્ત છે તે વિગતો મળે ત્યારે નવાબ તરત જ કેપ્ટન એરિક અને રીસાલદાર રફીક મહમદ અને દફેદાર વસી હૈદરખાન લઇ આવતા હતા. નવાબે રાજકોટમાંથી પારસીબાઇ પાસેથી રૂ. ૧૦,૦૦૦ની એક કૂતરી ખરીદી હતી. ત્યારે તા. ૨૩/૫/૧૯૪૪ના 'વંદેમાતરમે' ઉહાપોહ મચાવ્યો અને રાજકોટના રેસીડેન્ટ કર્નલ ગેસ્ફોર્ડનું ઘ્યાન દોર્યું હતું કે નવાબને આવા ખર્ચમાંથી બહાર કાઢો અને નવાબે કૂતરાં કૂતરીના લગ્ન કરાવ્યાની ખોટી વાત ૫ણ આલેખી હતી. આ રીતે નવાબનો કૂતરાઓનો શોખને ખોટી રીતે વઘુ ચગાવવામાં આવ્યો હતો અને રૂ. ૧૦,૦૦૦નો આંકડો ૫ણ ખોટો હોવાનું જણાય છે. આ સિવાય તા. ૧૭/૩/૧૯૩૫ના 'જન્મભૂમિ' માં ૫ણ કેશોદ મુકામે નવાબના મુકામ વખતે તેમના કૂતરાઓએ હાહાકાર મચાવ્યો તેવા સમાચારો પ્રગટ થયા હતા.
જૂનાગઢના નવાબનો કૂતારાઓ વિશેનો શોખ જેટલો સમજયા વિના વગોવાયો તેટલો જ અભ્યાસને પાત્ર અને ઉમદા જાણકારીવાળો વિશ્વમાં કૂતરાપ્રેમી લોકોમાં આવકારદાયક હતો. નવાબ કૂતરાઓ વિશેની જીણામાં જીણી વિગતો જાણવાની કે ભેગી કરવાની વૃતિ ઘરાવતા હતા. ઇ.સ. ૧૮૯૭માં ભારતમાં 'કેનલ કલબ ઓવ ઇન્ડિયા'ની સ્થા૫ના થઇ હતી તેના તેઓ રૂ. ૫૦૦ ભરીને લાઇફ મેમ્બર ૫ણ બનેલા આ કેનલ કલબ લંડન સાથે જોડાયેલી હતી જેની ઓફિસો ન્યુદિલ્હી અને સિમલામાં હતી આ કેનલ કલબનું 'ઘ ઇન્ડિયન કેનલ કલબ ગેઝેટ દર માસે પ્રસિઘ્ઘ થતું તેમાં ૫ણ નવાબની વિગતો અવારનવાર પ્રગટ થઇ હતી. નવાબે તા. ૩૧/૧/૧૯૪૭ના રોજ 'કેર ઓફ ઘી ડોગ' નામની ચો૫ડી મંગાવી હતી. વળી નવાબ કૂતરાઓની દરેક જાત અને તેના સ્વભાવ, આરોગ્ય અને કૂતરીને કેટલા ગલુડિયાં આવશે તે સચોટ રીતે કહી શકતા હોવાનું જૂના કાળના લોકો કહી રહયા છે.
તા. ૧૦/૭/૧૯૪૭ના રોજ નવાબી કેનલખાતાની ગ્રાન્ટ રૂ. ૮૦૦૦ની હતી અેટલેક કે જયારે નવાબ તા. ૨૪/૧૦/૪૭ના રોજ જૂનાગઢથી પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે તેમનો કૂતરા પાછળનો ખર્ચ રૂ. ૮૦૦૦નો હતો. ૫રંતુ ૫છીથી જીતેલા શાસકોએ નવાબનો કૂતરા પાછળનો રોજનો ખર્ચ રૂ. ૧૫૦૦નો અતિશયોકિત વાળો બતાવ્યો છે. જે અંઘાઘૂઘ ખોટુ છે જયારે ઉ૫રનો આંકડો નવાબી કાળના દફતરો બતાવે છે. એટલેકે આ૫ણે નવાબને અમુક બાબતે હદથી ઉતરી નીચા બતાવવાનો પ્રયત્ન જાણી બુઝીને કર્યો છે.
નવાબી કૂતરાઓ સરદારબાગ પેલેસમાં શાહી ઠાઠમાઠથી રહેતા હતા. કૂતરાઓ માટેના ૫લંગ, ગાદી, પાંજરાઓ અને અમુક માનીતા કૂતરાઓ અને અમુક માનીતા કુતરાઓને સોનાના દાગીનાઓ ૫ણ ૫હેરાવવામાં આવતા હતા. અને ચાંદીના વાસણોમાં તેમને ભોજન અપાતુ હતું કૂતરાઓને ચાંદીના ગેંડીમાં ખોરાક અપાતો અને તે વાસણો ઉ૫ર જેતે કેનલ ડિપાર્ટમેન્ટનું નામ ૫ણ લખેલુ રહેતુ અને સાથે જે તે કૂતરાનું નામ ૫ણ રહેતુ દા. ત. નીપી.
દરેક કૂતરાના ગળે ચાંદીની ૫ટ્ટીમાં તેનું નામ કોતરાયેલું રહેતુ અને સુલેમાની પારો અને લાળિયુંઅમુકને બાંઘવામાં આવતું હતું. નવાબના દરેક કુતરાઓનાનામો ૫ણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
ફેન્સી
લીલી
સેન્ડી
વીસ
જેલર
શેટી
લીઓ
ટરકીન
જમ્પી
મેઝીક
રૂબી
કોલોનેલ
ડોકટર
લુસી
મોડેલ
લવલી
લાન્સર
લિસ્ટર
નાન્સી
વિન્કલ
ક્રેઝી
બ્લૂ
ફાલ્કોન
ટેકલર
વેનોટ
વળી આ કૂતરાઓના નામ જાત જન્મ તારીખ, કોર બતાવતા રીતસરના ૫ત્રકો ૫ણ બનતા હતા. કૂતરાઓની વંશાવળીઓ ૫ણ રજીસ્ટરમાં રખાતી આ કૂતરાઓ માટે સરદારબાગમાં ૫ઘ્ઘતિસરનું એક કેનલ ડિપાર્ટમેન્ટ ઉભુ કરવામાં આવ્યું હતું કેનલ ઓફીસનો ઉ૫રી ઇન્ચાર્જ જનરલ મેનેજમેન્ટ રહેતો તેના હિસાબો ખુદ નવાબ તે રજીસ્ટરના પાનેપાને સહી કરીને એપ્રૃવ્ડ કરતા હતા. ૫ણ તા. ૨૪/૧૦/૪૭ના રોજ નવાબ પાકિસ્તાન જતા રહેતા તે ૫છીના તારીખોમાં નવાબની સહીનું ખાનું ખાલી ભાસે છે. નવાબ વિશે જીતેલા શાસકોએ સતત એવો કુપ્રચાર કર્યો હતો કે વહીવટમાં તેઓ ઘ્યાન આ૫તા ન હતા તે વાત ખોટી છે. નવાબ દરેક રજીસ્ટરો અને આવક જાવક બુકમાં અને ફરમાનોમાં સહી કરતા અરે નવાબની બેગમો તે જે જે ગામ પોતાની જીવાઇ તરીકે અપાયા હતા. તેના વહીવટના ચો૫ડામાં ૫ણ પાનેપાને એમણાબીબી નામની બેગમે સહી કરેલી જોવા મળે છે. છતાં આ૫ણે નવાબીને વગોવવા ખોટુ કહીએ છીએ કે તેઓ ઘ્યાન આ૫તા ન હતા.
નવાબના કેનલ ડિપાર્ટમેન્ટમાં ૪૦ જેટલા માણસોને સટાફ રહેતો હતો જેમાં (૧) સ્ટોરકિયર (૨) કલાર્ક (૩) ૫ટાવાળા (૪) કંપાઉન્ડર (૫) ઘોબી (૬) રસોયો (૭) દરોગો (૮) ગેંગબોય (૯) ડોગબોય (૧૦) ડી ડ્રેસર (૧૧) મેટ (૧૨) ફીમેલ મેટ (૧૩) સફાઇ કામદાર જેમાં ડોગ બોય એક થી વઘુ સંખ્યામાં રાખેલા હતા. વેટરનરી ડોકટર અલીભાઇ ૫રમાર હતા. જયારે વઘુ તપાસની જરૂર ૫ડે ત્યારે પૂનાના ર્ડા. એન.ડી. દર્શન G.B.V.C.P.G. વેટરનરી સર્જનની સેવા લેવામાં આવતી હતી, જેઓ નવાબસાહેબના જાણીતા અને માનીતા ડોકટર બની ગયા હતા. આ સિવાય ૫ણ કૂતરાઓને સારવાર આ૫નાર ડોકટરો અને જાણકાર લોકો તો હતા જ.
કૂતરાઓને માટે ઇંગલેન્ડથી કેનલ ડિસ્પેન્સરી માટે વિટામીન ડી મીનરલ્સ સિકથ ના ટીન આવતા હતા. મુંબઇની હાફકીન ઇન્સ્ટીટયુટ પેરલથી એન્ટીરેબિક વેકસાઇન આવતી હતી. કલકતાથી નોવોકેન ઇન્જેકશન આવતા હતા. લંડનમાંથી ઘી રેડિયોલ કં૫ની પાસેથી રેડીયોલ ટીન આવતા હતા. કૂતરાઓ માટે બોબ માર્ટિન કંડિશન પાઉડર આવતો એ સિવાય કોલેકસ અને રી૫ ડેન્ટલ પાવડર આવતો. નવાબના શાહી કૂતરાઓ માણસ કરતા ૫ણ વઘુ શાહી ઠાઠમાઠથી રહેતા હતા. નવાબ દયાળું હતા કૂતરાને જેમ સાંચવે તેમ બાળકોને ૫ણ પ્રેમ કરતા અને રાજયના દરેક બગીચાની કેરીઓ બાળકોને સ્કૂલોમાં વહેંચી દેવાતી હતી.
અમુક દિવસોએ કૂતરાંને ખાસ પ્રકારનું ખાણું આ૫વામાં આવતું હતું જેમાં કૂતરાને ફેફસા, બ્રેડ, ઓજડી, મટન, હડ્ડી, કલેજી, ભેજા વગેરે વગેરે અપાતુ હતુ. ઠંડા પ્રદેશના કૂતરાઓ જૂનાગઢની ગરમી સહન ન કરી શકે તેને માટે પંખા અને કેનલ ડિસ્પેન્સરીમાં અલ્ટ્રા વાયોલેટ મશીન હતું અને 'ઘી સોરઠ આઇસ ફેકટરી'માંથી બરફ આવતો હતો. જે બરફની પાટો ઠંડા પ્રદેશના કૂતરાઓના રૂમમાં રખાતી હશે.
કૂતરાઓના વંશવેલા અને તેની જાત અને ટ્રેનિંગ અને આરોગ્ય વિશે નવાબનું કેનલ હાઉસ ખૂબ જ સજાગ રહેતુ. મસુરીનું ડોનાલસન બોર્ડિંગ કેનલ્સ કૂતરાને ટ્રેનિંગ આ૫વાનું કામ કરતું અને તેની સલાહ અહીં લેવાતી હતી. જયારે કોઇ કૂતરાઓ માંદા ૫ડે ત્યારે સમયાંતરે તેનું ટેમ્રેચર મપાતુ અને તેની અન્ય તપાસો થતી એક કૂતરીના પેટમાંથી જીવાત નીકળી તો તે માઢાવાળી છે કે મોઢાવગરની તેની ડોકટરોએ તપાસ કરી હતી. જે માટે જૂનાગઢ હોસ્પિટલના M.B.B.S. F.R.C.S. ડોકટરો રીપોર્ટ કર્યો હતો. માંદા કૂતરાને ત્રણ ટાઇમ દવા અપાતી અને તેનો તાવ અને ટટ્ટીની તપાસ રખાતી હતી.
નવાબે કૂતરાઓનો આ શોખ વિકસાવ્યો અને તેના ઉ૫ર પ્રમાણમાં વઘુ ઘ્યાન દેવાને હિસાબે, કૂતરા ઉ૫રના વઘુ ૫ડતા પ્રેમના હિસાબે જગતમાં વગોવાઇ ગયા નવાબ જયારે ૫ણ જૂનાગઢની આસપાસના સ્થળોએ જાય ત્યારે તેમની ગાડીમાં એક બે કૂતરાઓ સાથે જ જાય તો વળી આનંદ પ્રમોદ માટે શિકારી કૂતરાઓ મારફત શિકાર ૫ણ કરાવતા હતા. જો કે આ નવાબે જ સિંહના શિકાર ઉ૫ર કડક પ્રતિબંઘ ફરમાવ્યો હતો. નવાબની થોડીક બાબતો વઘારે ૫ડતી ઘેલછા કે પ્રેમ બતાવે છે. જેથી તેમણે જૂનાગઢમાં બીલખા રોડ ઉ૫ર કૂતરાઓનું એક કબ્રસ્તાન ૫ણ બનાવ્યું હતું. જેમાં જ કૂતરાઓને દફન કરવામાં આવતા આઝાદી બાદ આ કબ્રસ્તાન તોડી ૫ડાયું છે અને તે જૂના સેક્રેટિરયેટ પાસે મકાનો બની ગયા છે.
નવાબે જૂનાગઢ છોડયું તે ૫હેલા તા. ૧૯/૧૦/૧૯૪૭ સુઘી કૂતરાઓ ખરીદયા હોવાના ઉલ્લેખો મળે છે. નવાબ પાકિસ્તાન જતા રહેતા તેમના પ્રાણસમા વહાલા કૂતરાઓ જૂનાગઢમાં ૫ડયા રહયા ત્યારે ભારત સરકારના લશ્કરે તા. ૯/૧૧/૧૯૪૭ના રોજ જૂનાગઢનો કબજો લેતા ૨૯૫ કૂતરાઓ સરકારને પ્રાપ્ત થયા હતા. આ ૫છી ભારત સરકારે હિદુંસ્તાનના ઘણા છાપાઓમાં આ કૂતરાંઓનસ જાહેર હરરાજીની જાહેરાત આપી હતી અને આખા હિંદુસ્તાનમાંથી કૂતરાપ્રેમીઓ નવાબના એ શાહી કૂતરાંઓ ખરીદવા માટે ઉમટી ૫ડયા જેમાંથી ૬૩ કૂતરાઓ વેચાતા રૂ. ૧૭૨૧૫ની આવક થઇ હતી. જે કૂતરાઓ નીચે મુજબના વ્યકિતઓએ ખરીદયા હતા. (૧) સજજનકુંવરબા રાજકોટ (૨) કોટડા સાંગાણી ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી (૩) મહિપાલસિંહ જોરા (૪) પી.કે.સંગ્લું (૫) નથુલાલ સાયલા (૬) વઢવાણ સ્ટેટ (૭) રૂબીન ડેવિડ (૮) વાઘણિયા દ.શ્રી. અમરવાળા સાહેબ (૯) આર.વી.સરદેસાઇ વેરાવળ (૧૦) કે.સી. કાલગોપી મુંબઇ એ ખરીદયા.
નવાબના કૂતરાઓ પાળવાનો શોખને દીવાન જર્મનીદાસે અને લિઓનાર્ડ ભોંસલે તથા નરભેરામ સદાવ્રતીએ વઘુ ૫ડતી અતિશયોકિત કરી ખોટી રીતે વગોવ્યો હતો. અરે લિઓનાર્ડ ભોંસલેએ તો એવો સાવ હંબક ગપ્પો લખી નાંખ્યો કે ''જયારુ કૂતરા સુહાગરાત મનાવે તે દિવસે નવાબી એક દિવસની લોકોને રજા આ૫તી હતી. જૂનાગઢ રાજયના વહીવટની તલેતલની માહિતી આ૫તા 'દસતુરલ અમલ સરકાર કે દફતરોમાં આવી રજાના કયાંઇ ઉલ્લેખો મળ્યા નથી.
આ સિવાય અખબારોએ ૫ણ નવાબના કૂતરાના વઘુ ૫ડતા શોખને વારંવાર અખબારોમાં ચમકાવ્યો હતો હવે છેલ્લે આ૫ણે અહીં દીવાન જર્મનીદાસે નવાબે કૂતરા કૂતરીના લગ્ન કરાવ્યાની સાવ અંઘાઘૂઘ ખોટી વાર્તા આલેખી છે તેને તેમના જ શબ્દોમાં જોઇએ.
''હીઝ હાઇનેશ નવાબ સર મહાબતખાન જૂનાગઢ રાજય સૌરાષ્ટ્રના રાજા હતા. તેમનું મગજ તરંગી હતુ અને જીવનના દરેક ક્ષેત્રમાં અેવુ જોવામાં આવતું કે તે સામાન્ય માનવીથી તદન જુદા જ તરી આવતા હતા. એક વખત તેના મનમાં એક એવો વિચાર આવ્યો કે તેની એક કૂતરી નામે રોશનઆરા પુખ્ત થઇ છે. કે તેણીને તેણે જન્મથી અતિપ્રેમથી અને સુવિઘાસહ પાળેલી. સારાએ રાજયમાં દરેકને ખબર હતી કે તે નવાબની અતિપ્રિય કૂતરી છે અને દિવસ અને રાત તેણી તેની નજર સમક્ષ જ રહેતી હતી.
૫ર્શિયન ભાષામાં એક કહેવત છે કે 'કૂતરું જે રાજાની નજીક હોય તે માનવી કરતા દૂર નહિ ૫ણ નજીક હોય', જયારે રોશનઆરા પુખ્તવયની બની અને તેને ૫રણાવવા નો વિચાર આવ્યો, ત્યારે નવાબે તેના મુખ્ય વજીર શ્રી અલ્લાહ બક્ષને હુકમ કર્યો કે આ કૂતરીના લગ્ન એક રાજકુંવરીના લગ્નની જેમ જ તે જ રીતરસમ પ્રમાણે ઉજવવાના છે.
તેથી રાજા - મહારાજાઓ અને બીજા ખ્યાતનામ, રાજયકક્ષાના વ્યકિતઓને આમંત્રણો મોકલવામાં આવ્યા. ૫રંતુ તે વખતની ભારત સરકારમાંના તેના અંગત મિત્રોને ૫ણ આમંત્રણ મોકલાયા જે લોર્ડ ઇરવીન અને લેડી ઇરવીન વાઇસરોય અને ગવનર્ર જરલ એજન્ટને ૫ણ આમંત્રણ મોકલાયા હતા અને તેઓની ૫ત્નીને ૫ણ લગભગ બઘા જ નિમંત્રકોએ આ નિમંત્રણ સ્વીકારેલા ૫ણ હતા. સિવાય કે વાઇસરોય અને તેનો રસાલો કારણકે તેઓએ વિચારેલ કારણ કે આ અવસર અભૂતપૂર્વ અને હાસ્યાસ્૫દ અને મૂર્ખાઇભર્યો છે.
લગ્નના દિવસે રોશનઆરાને સ્નાન કરાવેલ અત્તર અને સુંગઘ દ્વારા ભમકાળી તેને કિંમતી ઝવેરાત ૫હેરાવવામાં આવેલ ૫છી તેણીને દરબાર હોલમાં લાવવામાં આવી કે જયાં લગ્ન થવાના હતા અને તેનો ૫તિ એક કૂતરો સોનેરી રંગનો નામે બોબી હતો અને જે માંગરોળના નવાબનો હતો. જે જૂનાગઢના નવાબના બનેવી થતા હતા. એક મોતીની હેર અને બીજા ઝવેરાત કૂતરીના ગળાની આસપાસ વીંટળાયેલા હતા જયારે કૂતરાએ સોનાના કંગનો તેના ૫ગો ઉ૫ર સોનાના મોટા કડાઓ ૫ણ ૫હેરેલા હતા. તેણે તેની કમર ઉ૫ર રેશમ અને જરીભરતવાળા ક૫ડા ૫ણ વીંટળાયેલા હતા. જયારે કૂતરી તદન કુદરતી અવસ્થામાંજ હતી. વરની જાન ને જૂનાગઢના નવાબે રેલવે સ્ટેશને આવકારી હતી. અને ર૫૦ કૂતરાઓ સહિત જેઓને સુંદર ક૫ડાંઓ અને આભૂષણો થી શણગારેલા હતા. એક સરકસરૂપે મહેલથી સ્ટેશન સુઘી ગયેલા અને તેઓને સોના રૂપાવાળી હાથીની અંબાડી ઉ૫ર બેસાડેલા હતા. વર બોબીને આવકારકવા માટે રાજયના મંત્રીઓ અને જૂનાગઢ રાજયના રાજઘરાનાની વ્યકિતઓ ૫ણ રેલવે સ્ટેશને હાજર હતી. રેલવે સટેશન લાલ જાજમથી બિછાવ્યું હતું અને બોબીને તોતોની સલામી અપાઇ હતી અને ત્યારબાદ તેને લગ્ન માટે દરબાર હોલખાતે દોરી લઇ જવામાં આવ્યો હતો.
રાજયભારમાં ત્રણ દિવસની જાહેર રાજા પાળવામાં આવી હતી અને દરેક પ્રજાજન અને મહેમાનોને જેની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ વ્યકિતઓની હતી. તેઓને આનંદ પ્રમોદ કરાવેલ અને તેઓને ઉચ્ચ પ્રકારનું સંદર ખાણું રાજય તરફથી પીરસવામાં આવેલું હતું.
આ આનંદ પ્રમોદની ખાસ નવીનતા એ હતી કે જમણ દરેક શહેરીજન અને મહેમાનોને તેઓના રહેવાના સ્થળે જ પીરસવામાં આવેલું હતું અને તે માટે ખાસ વેગતો અને ટ્રકોનો ઉ૫યોગ કરવામાં આવેલો હતો. આ ભોજન દીવસમાં ત્રણ વખત સવાર, બપોર, સાંજે એમ પીરસવામાં આવેલું હતું જયારે રાજાઓ અને ખાસ આમંત્રિતો ને ખૂબ જ આનંદ પ્રમોદ અને સત્કાર આપીને અતિ ઉત્તમ પ્રકારના જમણો પીરસવામાં આવેલા હતા. અને વડોદરા, મુંબઇ અને ઇન્દોરથી ખાસ ગાનારીઓ અને નૃત્યાંગના સુંદરીઓને મનોરંજન માટે બોલાવવામાં આવી હતી.
લગ્ન કરાવવા માટેની વિઘિ માટે ઘર્મગુરૂઓને બોલાવવામાં આવેલા હતા અને જેમ સામાન્ય લગ્ન થાય તેવી જ વિઘિ પ્રમાણે આ શાહજાદીના લગ્ન ૫ણ સં૫ન્ન થયા હતા. ૭૦૦ દરબારીઓ અને માનનીય મહેમાનો આખા ભારતમાંથી આવેલા તેઓની હાજરીમાં આવિઘિ પૂર્ણ થઇ હતી. મહત્વના રાજયકર્તા, કુમારો અને ખાસ મહેમાનો જેઓ ખાસ ટ્રેનોમાં આવેલા વરની જાનમાં તેઓએ આ લગ્નવિઘિ ખાસ ઉત્તેજનાપૂર્વક નિહાળી હતી.
લગ્ન ૫છી એક મોટી મિજબાનીનું આયોજન કરવામાં આવેલું હતું અને તે વખતે રોશનઆરાને નવાબની જમણી બાજુએ સ્થાન આપેલ અને તેણીની પાસે બોબીને બેસાડેલ હતો. ખાસ ખોરાક કન્યા વરને પીરસવામાં આવેલો હતો. અને તેઓએ આ મિજબાનીમાં એજ પ્રમાણેભાગ લીઘો હતો. જેવી રીતે બીજા ખાસ આમંત્રિત મહેમાનોએ લીઘો હતો.
છાપાઓના ખાસ ખબર૫ત્રીઓ ૫ણ હાજર હતા અને ઘણી ફિલ્મો અને ફોટોગ્રાફો ૫ણ આ પ્રસંગના લેવામાં આવેલા હતા અને તે દેશ અને વિદેશના ઘણા છાપાઓમાં પ્રદર્શિત કરાયેલા હતા. આ એક કૂતુહલપૂર્ણ લગ્ન હતા. અને તેના અંતે નવાબે એવી જાહેરાત કરી હતી કે તેઓશ્રી તેઓનું શ્વાનગૃહ ૧૦૦ વઘારાના કૂતરાઓથી વિસ્તૃત કરશે જેમાં ૮૦ કૂતરીઓ અને ૨૦ કૂતરાઓ સમાવાશે અને આથી શ્વાનગૃહ (તે વખતે) લગભગ ૧૦૦૦ની સંખ્યા ઉ૫ર ૫હોંચી ગયું હતું. અતિપ્રિય રોશનઆરા જેના લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. તેની માવજત ખાસ પ્રકારની કરવામાં આવી હતી. તેણીના સમસ્ત જીવનકાળ દરમ્યાન તેણીને ખાસ ખોરાક કિંમતી કિનખાબના ઓશિકાઓ અને વાતાનુકૂલિત ખાસ અલાયદો ઓરડો આવેલો હતો. જયારે ગરીબ બિચારો બોબી લગ્નવિઘિ આટોવાઇ ગયા બાદ શ્વાનગૃહમાં બીજા શ્વાનોની સાથે જ ઘકેલાઇ ગયો હતો.
આ અવસરને અને તેની ભવ્યતાને જોયા બાદ કેટલાક રાજાઓ જેવા કે રણબીરસિંહ જિદ રાજયના અને ૫તિયાલાના ભૂપીન્દરસિંહે ૫ણ પોતાના શ્વાનોના લગ્ન ઉજવવાનું શરૂ કરેલું અને ઉત્તર ભારતમાં આ એક ખાસ પ્રકારની ફેશન તે વખતે બની રહી. કે જેના આવા ઉત્સવો ખૂબ જ ભવ્યતા મુજબ ઉજવવામાં આવતા હતા.
આવી ઉ૫જાવી કાઢેલ કાલ્પનિક વાહિયાત વાર્તા દીવાન જમર્નીદાસે તેમના 'મહારાજા' નામના પુસ્તકોમાં આલેખી અને જેના હિસાબે આ વાર્તા વાંચી નવાબ વઘુને વઘુ વગોવાતા ગયા. અને મૂર્ખ અને તરંગી મગજના કહેવાનો માણસોનો તેથી મોકો મળ્યો.
દીવાન જમર્નીદાસનું ઉ૫રોકત વર્ણન કાલ્૫નિક વાર્તા જ છે. કારણકે જૂનાગઢના વહીવટીતંત્રની તલેતલની વિગતો આર્કાઇત્જમાં સચવાયેલ ૫ડી છે. ૫ણ તેમાં આ લગ્નની કયાંઇ કશા ઉલ્લેખો કે હિસાબો કે નિમંત્રણો કે ફોટોગ્રાફસ મળ્યા નથી.
માત્ર રાજકુટુંબમાં એવો રિવાજ હતો કે જયારે રાજવીના લગ્ન થવાના હોય ત્યારે તેમાં કોઇની નજર ન લાગે કે અ૫શુકન ન થાય કે કોઇ વિઘ્ન ન આવે માટે લગ્ન ૫હેલાં કોઇ ૫શુના કે ગુલામના લગ્ન કરાવવાનો રિવાજ હતો. એ રિવાજ મુજબ નવાબ મહાબતખાનજી ત્રીજા ના ઇ.સ. ૧૯૨૦માં પ્રથમ લગ્ન થયા તે વખતે આવી માન્યતાથી કૂતરા કૂતરીનાં લગ્ન કરાવયા હોય તે વાતની ૫છી વતેસર કરી અને અખબારોએ ચમકાવી હોય અને લેખકોએ ૫છી ઉ૫રોકત કપોળ કલ્પિત વાતો જોડી કાઢી જૂનાગઢના ઇતિહાસ ર્ડા. શંભુપ્રસાદ દેશાઇએ ૫ણ નવાબે કૂતરા કૂતરીના લગ્ન આ રીતે ભયકાથી કરાવયાની વાત હંબક અને અંઘાઘૂઘ ખોટી હોવાનું નોંઘાવ્યું છે.
નવાબ વિશે ગમે તેટલું ખરાબ આઝાદી બાદ લખાયું હોય ૫ણ તેમ છતાં જૂનાગઢમાં નવાબીકાળના જે જૂના દસ્તાવેજો સચવાય રહેલા છે તે પુરાવાઓ આપે છે કે નવાબ મહાબતખાન ત્રીજા બહુ પ્રેમાળ, નેકદિલ, તટસ્થ અને સહિષ્ણું શાસક હતા. જેમણે ઇંગ્લેન્ડમાં અને અજમેરની મેયો કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને અંગ્રેજી ભાષા ઉ૫ર સારો એવો કાબુ ઘરાવતા હતા. ૫રંતુ તેમના નસીબ જોગે તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું જાહેર કર્યું અને તેમને પાકિસ્તાન કાયમને માટે જ જવું ૫ડયું ૫ણ જયારે જૂનાગઢમાં ભારતીય સંઘનું લશ્કર આવ્યું. ત્યારે નવાબે પાકિસ્તાનથી જૂનાગઢ તાર કર્યો કે મારી વ્હાલી પ્રજાનું લોહીનું એક ૫ણ ટીંપું વહેવું ન જોઇએ અને આ૫ણે શરણાગતિ સ્વીકારી લેવી. તેઓની એક જ ભૂલના હિસાબે આ૫ણે તેમના બઘા જ ગુણો ઉ૫ર પાણી ફેરવી દીઘુ અને નવાબને જેને કોઇને તક મળી તેણે ખરાબ ચિતરવાનો આજ સુઘી પ્રયત્ન થતો રહયો છે જેને ઇતિહાસની કલમ કદી ૫ણ માફ કરી શકે તેમ નથી.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પ્રથમ વર્ગનું રજવાડું એ જૂનાગઢ હતું. નવાબી સત્તાની સ્થા૫ના ઇ.સ. ૧૭૪૮માં શેરખાન બાબીએ કરી હતી. જૂનાગઢ રાજયમાં કુલ ૮૬૧ ગામો આવેલા હતા અને રાજયની વાર્ષિક આવક ૪૫ લાખ જેટલી હતી. જૂનાગઢ મુસ્લિમ રાજય હતું ૫ણ તેના નવાબો સહિષ્ણુતાથી શાસન ચલાવતા હતા અને દેલવાડા, વેરાવળ, વંથલી, વિસાવદરની ઘટનાઓ સિવાય રાજયમાં કોમી વિવાદો થયા નહોતાં.
જૂનાગઢ ઉ૫ર કુલ ૯ નવાબોએ સત્તા ભોગવી જેમાંના જૂનાગઢના નવમાં નવાબ મહાબતખાન ત્રીજા હતા કે જેઓ ઇસ. ૧૯૧૧ થી ૧૯૪૭ સુઘી સત્તા ઉ૫ર રહયા અને ઇસ. ૧૯૧૧ થી ૧૯૨૭ સુઘી તેમની સગીર ઉંમર હોવાને લીઘે બ્રિટીશ એડમીનીટ્રેશન રહયું હતું.
આટલી પ્રારંભિક વિગતો જાણ્યા ૫છી હવે આ૫ણા મૂળ વિષય ઉ૫ર આવીએ અને આજ સુઘી અસ્પૃશ્ય અને ખોટી રીતે ગવાયેલા, વગોવાયેલા, લખાયેલા નવાબના કૂતરા પ્રેમની વાતો પ્રથમકક્ષાના પુરાવાઓને આઘારે જાણીને નવાબનું નવા ર્દષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાનો આ નમ્ર પ્રયત્ન છે.
માણસ જાતનો કૂતરાઓ પાળવાનો શોખ પ્રાચીનકાળથી જળવાયેલો જોવા મળે છે. ઇંગ્લેન્ડ અને ઇરાનમાંથી મળેલા ભૂસ્તરીય અવશેષો ઉ૫રથી પાલતું કૂતરાઓનો વિકાસ આશરે ૧૦,૦૦૦ થી ૧૪,૦૦૦ વર્ષ ૫હેલા થયો હોવાનું મનાય છે. ૫શ્ચિમી દેશોમાં પ્રાચીનકાળમાં કૂતરાઓ માટે દોડસ્૫ર્ઘા, દાટેલી વસ્તુઓ શોઘવાની સ્૫ર્ઘા, શિકારની સ્૫ર્ઘા વગેરે વગેરે યોજાતી. જો કે ભારતમાં આવી બઘી સ્૫ર્ઘાઓ બહુ મોડી મોડી દાખલ થઇ હતી.
કૂતરાઓના કદ મુજબ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે. (૧) ઢીંગલી જેવા (૨) નાના (૩) મઘ્યમ (૪) મોટા તો કૂતરાની વિવિઘ નસલો મુજબ સાત પ્રકારો પાડેલા જોવા મળે છે. (૧) શિકારી કૂતરા (૨) હાઉન્ડઝ સમૂહ (૩) ટેરિયર સમૂહ (૪) રખેવાળ કૂતરાં (૫) નાના કદના (૬) જંગલી કૂતરા (૭) અન્ય.
એ જ રીતે કૂતરાઓની વિવિઘ જાતો કે શ્રેણી આ મુજબની છે. (૧) ગોલ્ડન પોંઇટર (ર) ગોલડન રીટ્રીવર (૩) ઇંગ્લિશ સેટર (૪) ફિલ્ડ સ્પેનિયલ (૫) બ્લડ હાઉંડ (૬) બોકસર (૭) ટોયપૂડલ (૮) આઇરિશ ટેરિયર (૯) ગ્રેહાઉન્ડ (૧૦) મેસ્ટિફ (૧૧) પોમેરિયન (૧૨) ઓસ્ટ્રેલિયન ટેરિયર (૧૩) બુલડોગ (૧૪) ડાલ્મેશિયન (૧૫) ડોબરમેન (૧૬) જર્મન સેફર્ડ ડોડા વગેરે વગેરે
માત્ર જૂનાગઢના નવાબ મહાબતખાનજીને જ કૂતરાઓ પાળવાનો શોખ હતો તેવુ નથી. ૫રંતુ તેમના પિતાશ્રી નવાબ રસુલખાનજીના રાજમહેલમાં ૫ણ થોડાક કૂતરાંઓ પાળતા હોવાનો ઉલ્લેખો મળે છે. જૂનાગઢના નવાબ સિવાય અન્ય દેશી રજવાડાના રાજાઓ અને રાજકૂમારો કૂતરાઆ પાળવાનો શોખ ઘરાવતા હતા. દા.ત. ભાવનગરના કુમાર શ્રી નિર્મળકુમાર, કોટડાસાંગાણીના ઠાકોરસાહેબ તથા વાઘણિયા દ.શ્રી. અમરાવાળા વગેરે વગેરે.
જૂનાગઢના નવાબ મહાબતખાનજી વિશે જેટલું ખરાબ ખોટી રીતે લખાયું છે. એટલું જ તેમનું વ્યકિતત્વ નિરાળુ પ્રજાવત્સલ, નેકદિલ અને ઇન્સાફી અને સહિષ્ણુ વૃતિ વાળુ હતું ૫રંતુ તેમના એક જ શોખને કારણે ખાસ કરીને અબુઘ્ઘ પ્રજાજનો અને તેમની નીતિરીતિ અને વહીવટ ન જાણનારા અર્ઘદગ્ઘ લેખકોએ તેમના શોખને સમજી શકયા નહીં અને તેને ખોટી રીતે વઘારીને ચગાવ્યો.
આજે તો દુનિયામાં ઘનવાનો કૂતરા પાછળ ગાંડા થયા છે અને કૂતરાઓ માટે અનેક સંસ્થાઓ હોસ્ટેલો અને વેબ સાઇટો ખુલ્લી છે. કૂતરાઓ વિશે નીતનવા અભ્યાસો થાય છે. એના ઉ૫ર જયારે નજર કરીએ છીએ ત્યારે જરૂર એમ લાગે છે કે જૂનાગઢના આ નવાબનું કૂતરાઓ વિશેનું જ્ઞાન અને માવજત અને આવડત આજના પ્રમાણમાં સવિશેષ હતી.
જૂનાગઢમાં નવાબે સરદારબાગના પેલેસમાં તેમણે વિશ્વની દરેક સુપ્રસિઘ્ઘ જાતોના ૩૦૦ જેટલા કૂતરાઆ રાખ્યા હતા. આ કૂતરાઆ તેમણે મુંબઇ, વડોદરા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લિવરપુલ, થાણાદેવળી, મસુરી, દિલ્હી, પૂના, પેશાવર, બેલપુર, નવશેરા, બાબરા, સિમલા, જોઘપરુ અને બલુચિસ્તાનથી મંગાવ્યા હોવાના વાઉચરો પ્રાપ્ત થાય છે. આમાંથી ઘણા કૂતરાઓ તો અરોપ્લેન અને સ્ટીમ્બરની મુસાફરી કરીને જૂનાગઢ ૫હોંચ્યા હતા. નવાબના કેનલ હાઉસમાં જે જાતનું કૂતરું ઘટતું હોય અને તે કયાં પ્રાપ્ત છે તે વિગતો મળે ત્યારે નવાબ તરત જ કેપ્ટન એરિક અને રીસાલદાર રફીક મહમદ અને દફેદાર વસી હૈદરખાન લઇ આવતા હતા. નવાબે રાજકોટમાંથી પારસીબાઇ પાસેથી રૂ. ૧૦,૦૦૦ની એક કૂતરી ખરીદી હતી. ત્યારે તા. ૨૩/૫/૧૯૪૪ના 'વંદેમાતરમે' ઉહાપોહ મચાવ્યો અને રાજકોટના રેસીડેન્ટ કર્નલ ગેસ્ફોર્ડનું ઘ્યાન દોર્યું હતું કે નવાબને આવા ખર્ચમાંથી બહાર કાઢો અને નવાબે કૂતરાં કૂતરીના લગ્ન કરાવ્યાની ખોટી વાત ૫ણ આલેખી હતી. આ રીતે નવાબનો કૂતરાઓનો શોખને ખોટી રીતે વઘુ ચગાવવામાં આવ્યો હતો અને રૂ. ૧૦,૦૦૦નો આંકડો ૫ણ ખોટો હોવાનું જણાય છે. આ સિવાય તા. ૧૭/૩/૧૯૩૫ના 'જન્મભૂમિ' માં ૫ણ કેશોદ મુકામે નવાબના મુકામ વખતે તેમના કૂતરાઓએ હાહાકાર મચાવ્યો તેવા સમાચારો પ્રગટ થયા હતા.
જૂનાગઢના નવાબનો કૂતારાઓ વિશેનો શોખ જેટલો સમજયા વિના વગોવાયો તેટલો જ અભ્યાસને પાત્ર અને ઉમદા જાણકારીવાળો વિશ્વમાં કૂતરાપ્રેમી લોકોમાં આવકારદાયક હતો. નવાબ કૂતરાઓ વિશેની જીણામાં જીણી વિગતો જાણવાની કે ભેગી કરવાની વૃતિ ઘરાવતા હતા. ઇ.સ. ૧૮૯૭માં ભારતમાં 'કેનલ કલબ ઓવ ઇન્ડિયા'ની સ્થા૫ના થઇ હતી તેના તેઓ રૂ. ૫૦૦ ભરીને લાઇફ મેમ્બર ૫ણ બનેલા આ કેનલ કલબ લંડન સાથે જોડાયેલી હતી જેની ઓફિસો ન્યુદિલ્હી અને સિમલામાં હતી આ કેનલ કલબનું 'ઘ ઇન્ડિયન કેનલ કલબ ગેઝેટ દર માસે પ્રસિઘ્ઘ થતું તેમાં ૫ણ નવાબની વિગતો અવારનવાર પ્રગટ થઇ હતી. નવાબે તા. ૩૧/૧/૧૯૪૭ના રોજ 'કેર ઓફ ઘી ડોગ' નામની ચો૫ડી મંગાવી હતી. વળી નવાબ કૂતરાઓની દરેક જાત અને તેના સ્વભાવ, આરોગ્ય અને કૂતરીને કેટલા ગલુડિયાં આવશે તે સચોટ રીતે કહી શકતા હોવાનું જૂના કાળના લોકો કહી રહયા છે.
તા. ૧૦/૭/૧૯૪૭ના રોજ નવાબી કેનલખાતાની ગ્રાન્ટ રૂ. ૮૦૦૦ની હતી અેટલેક કે જયારે નવાબ તા. ૨૪/૧૦/૪૭ના રોજ જૂનાગઢથી પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે તેમનો કૂતરા પાછળનો ખર્ચ રૂ. ૮૦૦૦નો હતો. ૫રંતુ ૫છીથી જીતેલા શાસકોએ નવાબનો કૂતરા પાછળનો રોજનો ખર્ચ રૂ. ૧૫૦૦નો અતિશયોકિત વાળો બતાવ્યો છે. જે અંઘાઘૂઘ ખોટુ છે જયારે ઉ૫રનો આંકડો નવાબી કાળના દફતરો બતાવે છે. એટલેકે આ૫ણે નવાબને અમુક બાબતે હદથી ઉતરી નીચા બતાવવાનો પ્રયત્ન જાણી બુઝીને કર્યો છે.
નવાબી કૂતરાઓ સરદારબાગ પેલેસમાં શાહી ઠાઠમાઠથી રહેતા હતા. કૂતરાઓ માટેના ૫લંગ, ગાદી, પાંજરાઓ અને અમુક માનીતા કૂતરાઓ અને અમુક માનીતા કુતરાઓને સોનાના દાગીનાઓ ૫ણ ૫હેરાવવામાં આવતા હતા. અને ચાંદીના વાસણોમાં તેમને ભોજન અપાતુ હતું કૂતરાઓને ચાંદીના ગેંડીમાં ખોરાક અપાતો અને તે વાસણો ઉ૫ર જેતે કેનલ ડિપાર્ટમેન્ટનું નામ ૫ણ લખેલુ રહેતુ અને સાથે જે તે કૂતરાનું નામ ૫ણ રહેતુ દા. ત. નીપી.
દરેક કૂતરાના ગળે ચાંદીની ૫ટ્ટીમાં તેનું નામ કોતરાયેલું રહેતુ અને સુલેમાની પારો અને લાળિયુંઅમુકને બાંઘવામાં આવતું હતું. નવાબના દરેક કુતરાઓનાનામો ૫ણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
ફેન્સી
લીલી
સેન્ડી
વીસ
જેલર
શેટી
લીઓ
ટરકીન
જમ્પી
મેઝીક
રૂબી
કોલોનેલ
ડોકટર
લુસી
મોડેલ
લવલી
લાન્સર
લિસ્ટર
નાન્સી
વિન્કલ
ક્રેઝી
બ્લૂ
ફાલ્કોન
ટેકલર
વેનોટ
વળી આ કૂતરાઓના નામ જાત જન્મ તારીખ, કોર બતાવતા રીતસરના ૫ત્રકો ૫ણ બનતા હતા. કૂતરાઓની વંશાવળીઓ ૫ણ રજીસ્ટરમાં રખાતી આ કૂતરાઓ માટે સરદારબાગમાં ૫ઘ્ઘતિસરનું એક કેનલ ડિપાર્ટમેન્ટ ઉભુ કરવામાં આવ્યું હતું કેનલ ઓફીસનો ઉ૫રી ઇન્ચાર્જ જનરલ મેનેજમેન્ટ રહેતો તેના હિસાબો ખુદ નવાબ તે રજીસ્ટરના પાનેપાને સહી કરીને એપ્રૃવ્ડ કરતા હતા. ૫ણ તા. ૨૪/૧૦/૪૭ના રોજ નવાબ પાકિસ્તાન જતા રહેતા તે ૫છીના તારીખોમાં નવાબની સહીનું ખાનું ખાલી ભાસે છે. નવાબ વિશે જીતેલા શાસકોએ સતત એવો કુપ્રચાર કર્યો હતો કે વહીવટમાં તેઓ ઘ્યાન આ૫તા ન હતા તે વાત ખોટી છે. નવાબ દરેક રજીસ્ટરો અને આવક જાવક બુકમાં અને ફરમાનોમાં સહી કરતા અરે નવાબની બેગમો તે જે જે ગામ પોતાની જીવાઇ તરીકે અપાયા હતા. તેના વહીવટના ચો૫ડામાં ૫ણ પાનેપાને એમણાબીબી નામની બેગમે સહી કરેલી જોવા મળે છે. છતાં આ૫ણે નવાબીને વગોવવા ખોટુ કહીએ છીએ કે તેઓ ઘ્યાન આ૫તા ન હતા.
નવાબના કેનલ ડિપાર્ટમેન્ટમાં ૪૦ જેટલા માણસોને સટાફ રહેતો હતો જેમાં (૧) સ્ટોરકિયર (૨) કલાર્ક (૩) ૫ટાવાળા (૪) કંપાઉન્ડર (૫) ઘોબી (૬) રસોયો (૭) દરોગો (૮) ગેંગબોય (૯) ડોગબોય (૧૦) ડી ડ્રેસર (૧૧) મેટ (૧૨) ફીમેલ મેટ (૧૩) સફાઇ કામદાર જેમાં ડોગ બોય એક થી વઘુ સંખ્યામાં રાખેલા હતા. વેટરનરી ડોકટર અલીભાઇ ૫રમાર હતા. જયારે વઘુ તપાસની જરૂર ૫ડે ત્યારે પૂનાના ર્ડા. એન.ડી. દર્શન G.B.V.C.P.G. વેટરનરી સર્જનની સેવા લેવામાં આવતી હતી, જેઓ નવાબસાહેબના જાણીતા અને માનીતા ડોકટર બની ગયા હતા. આ સિવાય ૫ણ કૂતરાઓને સારવાર આ૫નાર ડોકટરો અને જાણકાર લોકો તો હતા જ.
કૂતરાઓને માટે ઇંગલેન્ડથી કેનલ ડિસ્પેન્સરી માટે વિટામીન ડી મીનરલ્સ સિકથ ના ટીન આવતા હતા. મુંબઇની હાફકીન ઇન્સ્ટીટયુટ પેરલથી એન્ટીરેબિક વેકસાઇન આવતી હતી. કલકતાથી નોવોકેન ઇન્જેકશન આવતા હતા. લંડનમાંથી ઘી રેડિયોલ કં૫ની પાસેથી રેડીયોલ ટીન આવતા હતા. કૂતરાઓ માટે બોબ માર્ટિન કંડિશન પાઉડર આવતો એ સિવાય કોલેકસ અને રી૫ ડેન્ટલ પાવડર આવતો. નવાબના શાહી કૂતરાઓ માણસ કરતા ૫ણ વઘુ શાહી ઠાઠમાઠથી રહેતા હતા. નવાબ દયાળું હતા કૂતરાને જેમ સાંચવે તેમ બાળકોને ૫ણ પ્રેમ કરતા અને રાજયના દરેક બગીચાની કેરીઓ બાળકોને સ્કૂલોમાં વહેંચી દેવાતી હતી.
અમુક દિવસોએ કૂતરાંને ખાસ પ્રકારનું ખાણું આ૫વામાં આવતું હતું જેમાં કૂતરાને ફેફસા, બ્રેડ, ઓજડી, મટન, હડ્ડી, કલેજી, ભેજા વગેરે વગેરે અપાતુ હતુ. ઠંડા પ્રદેશના કૂતરાઓ જૂનાગઢની ગરમી સહન ન કરી શકે તેને માટે પંખા અને કેનલ ડિસ્પેન્સરીમાં અલ્ટ્રા વાયોલેટ મશીન હતું અને 'ઘી સોરઠ આઇસ ફેકટરી'માંથી બરફ આવતો હતો. જે બરફની પાટો ઠંડા પ્રદેશના કૂતરાઓના રૂમમાં રખાતી હશે.
કૂતરાઓના વંશવેલા અને તેની જાત અને ટ્રેનિંગ અને આરોગ્ય વિશે નવાબનું કેનલ હાઉસ ખૂબ જ સજાગ રહેતુ. મસુરીનું ડોનાલસન બોર્ડિંગ કેનલ્સ કૂતરાને ટ્રેનિંગ આ૫વાનું કામ કરતું અને તેની સલાહ અહીં લેવાતી હતી. જયારે કોઇ કૂતરાઓ માંદા ૫ડે ત્યારે સમયાંતરે તેનું ટેમ્રેચર મપાતુ અને તેની અન્ય તપાસો થતી એક કૂતરીના પેટમાંથી જીવાત નીકળી તો તે માઢાવાળી છે કે મોઢાવગરની તેની ડોકટરોએ તપાસ કરી હતી. જે માટે જૂનાગઢ હોસ્પિટલના M.B.B.S. F.R.C.S. ડોકટરો રીપોર્ટ કર્યો હતો. માંદા કૂતરાને ત્રણ ટાઇમ દવા અપાતી અને તેનો તાવ અને ટટ્ટીની તપાસ રખાતી હતી.
નવાબે કૂતરાઓનો આ શોખ વિકસાવ્યો અને તેના ઉ૫ર પ્રમાણમાં વઘુ ઘ્યાન દેવાને હિસાબે, કૂતરા ઉ૫રના વઘુ ૫ડતા પ્રેમના હિસાબે જગતમાં વગોવાઇ ગયા નવાબ જયારે ૫ણ જૂનાગઢની આસપાસના સ્થળોએ જાય ત્યારે તેમની ગાડીમાં એક બે કૂતરાઓ સાથે જ જાય તો વળી આનંદ પ્રમોદ માટે શિકારી કૂતરાઓ મારફત શિકાર ૫ણ કરાવતા હતા. જો કે આ નવાબે જ સિંહના શિકાર ઉ૫ર કડક પ્રતિબંઘ ફરમાવ્યો હતો. નવાબની થોડીક બાબતો વઘારે ૫ડતી ઘેલછા કે પ્રેમ બતાવે છે. જેથી તેમણે જૂનાગઢમાં બીલખા રોડ ઉ૫ર કૂતરાઓનું એક કબ્રસ્તાન ૫ણ બનાવ્યું હતું. જેમાં જ કૂતરાઓને દફન કરવામાં આવતા આઝાદી બાદ આ કબ્રસ્તાન તોડી ૫ડાયું છે અને તે જૂના સેક્રેટિરયેટ પાસે મકાનો બની ગયા છે.
નવાબે જૂનાગઢ છોડયું તે ૫હેલા તા. ૧૯/૧૦/૧૯૪૭ સુઘી કૂતરાઓ ખરીદયા હોવાના ઉલ્લેખો મળે છે. નવાબ પાકિસ્તાન જતા રહેતા તેમના પ્રાણસમા વહાલા કૂતરાઓ જૂનાગઢમાં ૫ડયા રહયા ત્યારે ભારત સરકારના લશ્કરે તા. ૯/૧૧/૧૯૪૭ના રોજ જૂનાગઢનો કબજો લેતા ૨૯૫ કૂતરાઓ સરકારને પ્રાપ્ત થયા હતા. આ ૫છી ભારત સરકારે હિદુંસ્તાનના ઘણા છાપાઓમાં આ કૂતરાંઓનસ જાહેર હરરાજીની જાહેરાત આપી હતી અને આખા હિંદુસ્તાનમાંથી કૂતરાપ્રેમીઓ નવાબના એ શાહી કૂતરાંઓ ખરીદવા માટે ઉમટી ૫ડયા જેમાંથી ૬૩ કૂતરાઓ વેચાતા રૂ. ૧૭૨૧૫ની આવક થઇ હતી. જે કૂતરાઓ નીચે મુજબના વ્યકિતઓએ ખરીદયા હતા. (૧) સજજનકુંવરબા રાજકોટ (૨) કોટડા સાંગાણી ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી (૩) મહિપાલસિંહ જોરા (૪) પી.કે.સંગ્લું (૫) નથુલાલ સાયલા (૬) વઢવાણ સ્ટેટ (૭) રૂબીન ડેવિડ (૮) વાઘણિયા દ.શ્રી. અમરવાળા સાહેબ (૯) આર.વી.સરદેસાઇ વેરાવળ (૧૦) કે.સી. કાલગોપી મુંબઇ એ ખરીદયા.
નવાબના કૂતરાઓ પાળવાનો શોખને દીવાન જર્મનીદાસે અને લિઓનાર્ડ ભોંસલે તથા નરભેરામ સદાવ્રતીએ વઘુ ૫ડતી અતિશયોકિત કરી ખોટી રીતે વગોવ્યો હતો. અરે લિઓનાર્ડ ભોંસલેએ તો એવો સાવ હંબક ગપ્પો લખી નાંખ્યો કે ''જયારુ કૂતરા સુહાગરાત મનાવે તે દિવસે નવાબી એક દિવસની લોકોને રજા આ૫તી હતી. જૂનાગઢ રાજયના વહીવટની તલેતલની માહિતી આ૫તા 'દસતુરલ અમલ સરકાર કે દફતરોમાં આવી રજાના કયાંઇ ઉલ્લેખો મળ્યા નથી.
આ સિવાય અખબારોએ ૫ણ નવાબના કૂતરાના વઘુ ૫ડતા શોખને વારંવાર અખબારોમાં ચમકાવ્યો હતો હવે છેલ્લે આ૫ણે અહીં દીવાન જર્મનીદાસે નવાબે કૂતરા કૂતરીના લગ્ન કરાવ્યાની સાવ અંઘાઘૂઘ ખોટી વાર્તા આલેખી છે તેને તેમના જ શબ્દોમાં જોઇએ.
''હીઝ હાઇનેશ નવાબ સર મહાબતખાન જૂનાગઢ રાજય સૌરાષ્ટ્રના રાજા હતા. તેમનું મગજ તરંગી હતુ અને જીવનના દરેક ક્ષેત્રમાં અેવુ જોવામાં આવતું કે તે સામાન્ય માનવીથી તદન જુદા જ તરી આવતા હતા. એક વખત તેના મનમાં એક એવો વિચાર આવ્યો કે તેની એક કૂતરી નામે રોશનઆરા પુખ્ત થઇ છે. કે તેણીને તેણે જન્મથી અતિપ્રેમથી અને સુવિઘાસહ પાળેલી. સારાએ રાજયમાં દરેકને ખબર હતી કે તે નવાબની અતિપ્રિય કૂતરી છે અને દિવસ અને રાત તેણી તેની નજર સમક્ષ જ રહેતી હતી.
૫ર્શિયન ભાષામાં એક કહેવત છે કે 'કૂતરું જે રાજાની નજીક હોય તે માનવી કરતા દૂર નહિ ૫ણ નજીક હોય', જયારે રોશનઆરા પુખ્તવયની બની અને તેને ૫રણાવવા નો વિચાર આવ્યો, ત્યારે નવાબે તેના મુખ્ય વજીર શ્રી અલ્લાહ બક્ષને હુકમ કર્યો કે આ કૂતરીના લગ્ન એક રાજકુંવરીના લગ્નની જેમ જ તે જ રીતરસમ પ્રમાણે ઉજવવાના છે.
તેથી રાજા - મહારાજાઓ અને બીજા ખ્યાતનામ, રાજયકક્ષાના વ્યકિતઓને આમંત્રણો મોકલવામાં આવ્યા. ૫રંતુ તે વખતની ભારત સરકારમાંના તેના અંગત મિત્રોને ૫ણ આમંત્રણ મોકલાયા જે લોર્ડ ઇરવીન અને લેડી ઇરવીન વાઇસરોય અને ગવનર્ર જરલ એજન્ટને ૫ણ આમંત્રણ મોકલાયા હતા અને તેઓની ૫ત્નીને ૫ણ લગભગ બઘા જ નિમંત્રકોએ આ નિમંત્રણ સ્વીકારેલા ૫ણ હતા. સિવાય કે વાઇસરોય અને તેનો રસાલો કારણકે તેઓએ વિચારેલ કારણ કે આ અવસર અભૂતપૂર્વ અને હાસ્યાસ્૫દ અને મૂર્ખાઇભર્યો છે.
લગ્નના દિવસે રોશનઆરાને સ્નાન કરાવેલ અત્તર અને સુંગઘ દ્વારા ભમકાળી તેને કિંમતી ઝવેરાત ૫હેરાવવામાં આવેલ ૫છી તેણીને દરબાર હોલમાં લાવવામાં આવી કે જયાં લગ્ન થવાના હતા અને તેનો ૫તિ એક કૂતરો સોનેરી રંગનો નામે બોબી હતો અને જે માંગરોળના નવાબનો હતો. જે જૂનાગઢના નવાબના બનેવી થતા હતા. એક મોતીની હેર અને બીજા ઝવેરાત કૂતરીના ગળાની આસપાસ વીંટળાયેલા હતા જયારે કૂતરાએ સોનાના કંગનો તેના ૫ગો ઉ૫ર સોનાના મોટા કડાઓ ૫ણ ૫હેરેલા હતા. તેણે તેની કમર ઉ૫ર રેશમ અને જરીભરતવાળા ક૫ડા ૫ણ વીંટળાયેલા હતા. જયારે કૂતરી તદન કુદરતી અવસ્થામાંજ હતી. વરની જાન ને જૂનાગઢના નવાબે રેલવે સ્ટેશને આવકારી હતી. અને ર૫૦ કૂતરાઓ સહિત જેઓને સુંદર ક૫ડાંઓ અને આભૂષણો થી શણગારેલા હતા. એક સરકસરૂપે મહેલથી સ્ટેશન સુઘી ગયેલા અને તેઓને સોના રૂપાવાળી હાથીની અંબાડી ઉ૫ર બેસાડેલા હતા. વર બોબીને આવકારકવા માટે રાજયના મંત્રીઓ અને જૂનાગઢ રાજયના રાજઘરાનાની વ્યકિતઓ ૫ણ રેલવે સ્ટેશને હાજર હતી. રેલવે સટેશન લાલ જાજમથી બિછાવ્યું હતું અને બોબીને તોતોની સલામી અપાઇ હતી અને ત્યારબાદ તેને લગ્ન માટે દરબાર હોલખાતે દોરી લઇ જવામાં આવ્યો હતો.
રાજયભારમાં ત્રણ દિવસની જાહેર રાજા પાળવામાં આવી હતી અને દરેક પ્રજાજન અને મહેમાનોને જેની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ વ્યકિતઓની હતી. તેઓને આનંદ પ્રમોદ કરાવેલ અને તેઓને ઉચ્ચ પ્રકારનું સંદર ખાણું રાજય તરફથી પીરસવામાં આવેલું હતું.
આ આનંદ પ્રમોદની ખાસ નવીનતા એ હતી કે જમણ દરેક શહેરીજન અને મહેમાનોને તેઓના રહેવાના સ્થળે જ પીરસવામાં આવેલું હતું અને તે માટે ખાસ વેગતો અને ટ્રકોનો ઉ૫યોગ કરવામાં આવેલો હતો. આ ભોજન દીવસમાં ત્રણ વખત સવાર, બપોર, સાંજે એમ પીરસવામાં આવેલું હતું જયારે રાજાઓ અને ખાસ આમંત્રિતો ને ખૂબ જ આનંદ પ્રમોદ અને સત્કાર આપીને અતિ ઉત્તમ પ્રકારના જમણો પીરસવામાં આવેલા હતા. અને વડોદરા, મુંબઇ અને ઇન્દોરથી ખાસ ગાનારીઓ અને નૃત્યાંગના સુંદરીઓને મનોરંજન માટે બોલાવવામાં આવી હતી.
લગ્ન કરાવવા માટેની વિઘિ માટે ઘર્મગુરૂઓને બોલાવવામાં આવેલા હતા અને જેમ સામાન્ય લગ્ન થાય તેવી જ વિઘિ પ્રમાણે આ શાહજાદીના લગ્ન ૫ણ સં૫ન્ન થયા હતા. ૭૦૦ દરબારીઓ અને માનનીય મહેમાનો આખા ભારતમાંથી આવેલા તેઓની હાજરીમાં આવિઘિ પૂર્ણ થઇ હતી. મહત્વના રાજયકર્તા, કુમારો અને ખાસ મહેમાનો જેઓ ખાસ ટ્રેનોમાં આવેલા વરની જાનમાં તેઓએ આ લગ્નવિઘિ ખાસ ઉત્તેજનાપૂર્વક નિહાળી હતી.
લગ્ન ૫છી એક મોટી મિજબાનીનું આયોજન કરવામાં આવેલું હતું અને તે વખતે રોશનઆરાને નવાબની જમણી બાજુએ સ્થાન આપેલ અને તેણીની પાસે બોબીને બેસાડેલ હતો. ખાસ ખોરાક કન્યા વરને પીરસવામાં આવેલો હતો. અને તેઓએ આ મિજબાનીમાં એજ પ્રમાણેભાગ લીઘો હતો. જેવી રીતે બીજા ખાસ આમંત્રિત મહેમાનોએ લીઘો હતો.
છાપાઓના ખાસ ખબર૫ત્રીઓ ૫ણ હાજર હતા અને ઘણી ફિલ્મો અને ફોટોગ્રાફો ૫ણ આ પ્રસંગના લેવામાં આવેલા હતા અને તે દેશ અને વિદેશના ઘણા છાપાઓમાં પ્રદર્શિત કરાયેલા હતા. આ એક કૂતુહલપૂર્ણ લગ્ન હતા. અને તેના અંતે નવાબે એવી જાહેરાત કરી હતી કે તેઓશ્રી તેઓનું શ્વાનગૃહ ૧૦૦ વઘારાના કૂતરાઓથી વિસ્તૃત કરશે જેમાં ૮૦ કૂતરીઓ અને ૨૦ કૂતરાઓ સમાવાશે અને આથી શ્વાનગૃહ (તે વખતે) લગભગ ૧૦૦૦ની સંખ્યા ઉ૫ર ૫હોંચી ગયું હતું. અતિપ્રિય રોશનઆરા જેના લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. તેની માવજત ખાસ પ્રકારની કરવામાં આવી હતી. તેણીના સમસ્ત જીવનકાળ દરમ્યાન તેણીને ખાસ ખોરાક કિંમતી કિનખાબના ઓશિકાઓ અને વાતાનુકૂલિત ખાસ અલાયદો ઓરડો આવેલો હતો. જયારે ગરીબ બિચારો બોબી લગ્નવિઘિ આટોવાઇ ગયા બાદ શ્વાનગૃહમાં બીજા શ્વાનોની સાથે જ ઘકેલાઇ ગયો હતો.
આ અવસરને અને તેની ભવ્યતાને જોયા બાદ કેટલાક રાજાઓ જેવા કે રણબીરસિંહ જિદ રાજયના અને ૫તિયાલાના ભૂપીન્દરસિંહે ૫ણ પોતાના શ્વાનોના લગ્ન ઉજવવાનું શરૂ કરેલું અને ઉત્તર ભારતમાં આ એક ખાસ પ્રકારની ફેશન તે વખતે બની રહી. કે જેના આવા ઉત્સવો ખૂબ જ ભવ્યતા મુજબ ઉજવવામાં આવતા હતા.
આવી ઉ૫જાવી કાઢેલ કાલ્પનિક વાહિયાત વાર્તા દીવાન જમર્નીદાસે તેમના 'મહારાજા' નામના પુસ્તકોમાં આલેખી અને જેના હિસાબે આ વાર્તા વાંચી નવાબ વઘુને વઘુ વગોવાતા ગયા. અને મૂર્ખ અને તરંગી મગજના કહેવાનો માણસોનો તેથી મોકો મળ્યો.
દીવાન જમર્નીદાસનું ઉ૫રોકત વર્ણન કાલ્૫નિક વાર્તા જ છે. કારણકે જૂનાગઢના વહીવટીતંત્રની તલેતલની વિગતો આર્કાઇત્જમાં સચવાયેલ ૫ડી છે. ૫ણ તેમાં આ લગ્નની કયાંઇ કશા ઉલ્લેખો કે હિસાબો કે નિમંત્રણો કે ફોટોગ્રાફસ મળ્યા નથી.
માત્ર રાજકુટુંબમાં એવો રિવાજ હતો કે જયારે રાજવીના લગ્ન થવાના હોય ત્યારે તેમાં કોઇની નજર ન લાગે કે અ૫શુકન ન થાય કે કોઇ વિઘ્ન ન આવે માટે લગ્ન ૫હેલાં કોઇ ૫શુના કે ગુલામના લગ્ન કરાવવાનો રિવાજ હતો. એ રિવાજ મુજબ નવાબ મહાબતખાનજી ત્રીજા ના ઇ.સ. ૧૯૨૦માં પ્રથમ લગ્ન થયા તે વખતે આવી માન્યતાથી કૂતરા કૂતરીનાં લગ્ન કરાવયા હોય તે વાતની ૫છી વતેસર કરી અને અખબારોએ ચમકાવી હોય અને લેખકોએ ૫છી ઉ૫રોકત કપોળ કલ્પિત વાતો જોડી કાઢી જૂનાગઢના ઇતિહાસ ર્ડા. શંભુપ્રસાદ દેશાઇએ ૫ણ નવાબે કૂતરા કૂતરીના લગ્ન આ રીતે ભયકાથી કરાવયાની વાત હંબક અને અંઘાઘૂઘ ખોટી હોવાનું નોંઘાવ્યું છે.
નવાબ વિશે ગમે તેટલું ખરાબ આઝાદી બાદ લખાયું હોય ૫ણ તેમ છતાં જૂનાગઢમાં નવાબીકાળના જે જૂના દસ્તાવેજો સચવાય રહેલા છે તે પુરાવાઓ આપે છે કે નવાબ મહાબતખાન ત્રીજા બહુ પ્રેમાળ, નેકદિલ, તટસ્થ અને સહિષ્ણું શાસક હતા. જેમણે ઇંગ્લેન્ડમાં અને અજમેરની મેયો કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને અંગ્રેજી ભાષા ઉ૫ર સારો એવો કાબુ ઘરાવતા હતા. ૫રંતુ તેમના નસીબ જોગે તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું જાહેર કર્યું અને તેમને પાકિસ્તાન કાયમને માટે જ જવું ૫ડયું ૫ણ જયારે જૂનાગઢમાં ભારતીય સંઘનું લશ્કર આવ્યું. ત્યારે નવાબે પાકિસ્તાનથી જૂનાગઢ તાર કર્યો કે મારી વ્હાલી પ્રજાનું લોહીનું એક ૫ણ ટીંપું વહેવું ન જોઇએ અને આ૫ણે શરણાગતિ સ્વીકારી લેવી. તેઓની એક જ ભૂલના હિસાબે આ૫ણે તેમના બઘા જ ગુણો ઉ૫ર પાણી ફેરવી દીઘુ અને નવાબને જેને કોઇને તક મળી તેણે ખરાબ ચિતરવાનો આજ સુઘી પ્રયત્ન થતો રહયો છે જેને ઇતિહાસની કલમ કદી ૫ણ માફ કરી શકે તેમ નથી.
Comments
Post a Comment